સરકાર વારેવારે પોલીથીન બેગ પર નિયંત્રણ મૂકે છે. પણ લોકો પોતાની થોડી સગવડ માટે તેના માટે જોઇએ તેવો સહકાર ના આપતી હોવાને કારણે તેનો ઉપયોગ બંધ નથી થતો. બેચાર દિવસ નિયંત્રણ રહે ફરી બધું જ યથાવત. પ્લાસ્ટિકના ઉપયોગથી થતાં નુકશાન માટે ઘણું લખવામાં આવે છે. ચાલો થોડું વધારે જાણીએ.
રોજબરોજની જીંદગીમાં પ્લાસ્ટિક્ને આપણે મહત્વની જરૂરિયાત માનીએ છીએ પણ શું આપણે જાણીએ છીએ પ્લાસ્ટિકની ખતરનાક આડઅસરો વિશે? પ્લાસ્ટિકના કપમાં ચા અને બહારથી પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરીને લાવેલું ભોજન નુકશાનકારક છે. ખાસ કરીને લોકો પ્લાસ્ટિકના કપમાં ગરમાગરમ ચાની ચૂસકીઓ લેતા જોવા મળે છે પરંતુ તેમને ખબર નથી હોતી કે પ્લાસ્ટિકના કપમાં ગરમ ચા પીવાથી ચાની સાથે ઝેરી કેમીકલ પીગળી ચા સાથે પેટમાં જાય છે અને લાંબે ગાળે શરીરના હોર્મેન્સને અસર કરે છે.
પ્લાસ્ટિક પર્યાવરણ માટે તો નુકશાનકારક છે સાથે મનુષ્ય માટે પણ ખતરનાક છે. લાંબેગાળે હોર્મોન્સની સિસ્ટમ ખોરવી નાખે છે. ખાદ્ય ચીજો અને પ્રવાહી પ્લાસ્ટિકમાં લેવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળો. પ્લાસ્ટિકમાં અતિ ગરમ કે અતિ ઠંડી ચીજો લેવાથી ઝેરી રસાયણ ઓગળી શરીરમાં જાય છે. પુરુષોના શુક્રાણુઓને અને મહિલાઓના પ્રજનન તંત્રને અસર કરે છે. બાળકોના માનસિક વિકાસને રૂધે છે. હ્રદય-લીવર-કિડની અને પાચનતંત્ર માટે પ્લાસ્ટિક હાનિકારક છે. હોર્મોન્સ-શુક્રાણુઓને થતી અસર પ્રુરુષોના સેક્સપાવરને ઘટાડી નાંખે છે એવું નિષ્ણાતોનું કહેવું છે.
વારણસી ખાતે વૈજ્ઞાનિકોએ ચાર વર્ષ સુધી ઉંદરો પર પ્રયોગ કરીને તારણ આપ્યું છે કે પ્લાસ્ટિકમાં અતિગરમ કે અતિઠંડી ચીજો સ્વાસ્થ્યને અતિ ગંભીર નુક્શાન પહોંચાડે છે આ ઉપરાંત અમેરિકી કેમીકલ રિસર્ચના રિપોર્ટમાં જણાવાયું છે કે પ્લાસ્ટિકમાં ખાદ્યચીજો કે પ્રવાહી લેવાથી બાવન પ્રકારના કેન્સરનો ખતરો રહે છે.
પ્લાસ્ટિક એન્જીનીયરીંગ એન્ડ ટેક્નોલોજી ઇન્સ્ટિટયૂટ-લખનૌના ડાયરેક્ટર ડૉ. વિજયકુમાર જણાવે છે કે પ્લાસ્ટિક બેગમાં વપરાતા કલર અને પોલીથીન મનુષ્યનાં મોટાં દુશ્મન છે.
કાચ, સિરેમિક કે સ્ટેઇનલેસ સ્ટીલનાં વાસણોનો ઉપયોગ જ સુરક્ષિત છે અને પીવાનાં પાણી માટે ત્રાંબાના વાસણનો ઉપયોગ વધુ ફાયદાકારક છે. એલ્યુમિનિયમ વાસણોમાં બનાવાતી રસોઇ પણ લાંબેગાળે નુકશાનકારક છે. સ્ટેઇનલેસ સ્ટીલના વાસણોમાં પણ ખટાશવાળી વસ્તુનો થતો સંગ્રહ સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે. જેમ કે અથાણાં કે વિટામીન સી હોય તેવાં જ્યુસ સ્ટેઇનલેસ સ્ટીલમાં રાખવાં કે લેવા હિતાવહ નથી. સિરામિક કે કાચના વાસણોનો જ ઉપયોગ હિતાવહ રહે છે.
એકવાર આફ્રિકામાં માણસોમાં અચાનક ગાંડપણના કિસ્સા ખૂબ પ્રમાણમાં વધી ગયાં. તેના વિશે શોધ કરવામાં આવી કે શું કારણથી અચાનક લોકોમાં ગાંડપણનું પ્રમાણ વધી રહ્યું છે? અંતે તેનું કારણ જાણવા મળેલ કે લોકો ખાટાં પદાર્થો કે અથાંણાં સ્ટેઇનલેસ સ્ટીલના વાસણોમાં રાખતા તેથી લોકોમાં ગાંડપણ કે માનસિક અસ્થિરતા આવતી. આ કિસ્સો મારા દીકરાના સાયન્સ અને મેથ્સના ટીચરે જણાવેલ.
.

માહિતિપ્રદ, ઉપયોગી અને જાગૃત કરતો લેખ.
વારણસી ખાતે વૈજ્ઞાનિકોએ ચાર વર્ષ સુધી ઉંદરો પર પ્રયોગ કરીને તારણ આપ્યું છે કે પ્લાસ્ટિકમાં અતિગરમ કે અતિઠંડી ચીજો સ્વાસ્થ્યને અતિ ગંભીર નુક્શાન પહોંચાડે છે આ ઉપરાંત અમેરિકી કેમીકલ રિસર્ચના રિપોર્ટમાં જણાવાયું છે કે પ્લાસ્ટિકમાં ખાદ્યચીજો કે પ્રવાહી લેવાથી બાવન પ્રકારના કેન્સરનો ખતરો રહે છે.
આ જાણીને આશ્ચર્ય થશે કે માત્ર પ્લાસ્ટિકમાં નહિં – કોઈ પણ રીતે ગ્રહણ કરવામાં આવતી અતિગરમ કે અતિઠંડી ચીજો સ્વાસ્થ્યને અતિ ગંભીર નુક્શાન પહોંચાડે છે. આ વાત શ્રીમદ ભગવદ ગીતા કહે છે.
શ્રી મિતાબહેન, અતિઉપયોગી માહિતીઓ જણાવી છે.
અમે તો દશેક વર્ષથી દુકાને પ્લાસ્ટિકના ઝભલાંથેલીઓ રાખવાની પ્રથા જ બંધ રાખી છે. તેના બદલે માલનાં નાના મોટા ખાલી ખોખાઓ સાચવી રાખીએ જે કોઈ જરૂરીયાત વાળા ગ્રાહકને (થેલી સાથે લઈ ન નીકળેલા) માલ લઈ જવા માટે આપીએ છીએ. આપણે આવા નાના નાના વ્યવહારૂ રસ્તાઓ તો કાઢી જ શકીએ.
સુંદર લેખ. આ પ્રકારના વધુ લેખની પ્રતિક્ષા રહેશે. આભાર.
અશોકભાઇ,
આપ ઉત્તમ પ્રયાસ કરીને શક્ય યોગદાન આપી રહ્યા છે તે માટે ધન્યવાદ. સરકાર પ્રતિબંધ કરે એટલે થોડા દિવસ સાથે થેલી રાખવાની માંડ ટેવ પડે ત્યાં બજારમાં પાછાં ઝભલાંથેલી શરૂ થઇ જાય. પ્રજા, સરકાર અને ઉત્પાદકો સૌ પોતાના ફાયદા જુએ છે તેથી કોઇ નક્કર કાયમી પગલાં લેવાતા નથી..
આભાર
અહીં ઘણી જ્યુસ બનાવતી કંપનીઓ સંતરાનો રસ્ પ્લાસ્ટિક નહિ પણ કોર્ન માંથી બનાવેલી પ્લાસ્ટિક જેવી બોટલમાં વેચતી હોય છે.જે સારું કહેવાય.
અશોકભાઇ,
માનવ આત્માઓની સાથે રહીને ડાયનાસોર પણ બુદ્ધિશાળી થઇ ગયા લાગે છે. પૃથ્વી પર તો મનુષ્યો પ્રાણીઓને સુખેથી જીવવાં દેતાં નહોતાં હવે સ્વર્ગ પર અધિકાર જમાવવા લાગ્યા છે. તેથી તેઓ ફરિયાદ મેઇલ કરવા લાગ્યા છે તેની આ તો શરૂઆત છે. હવે આવી મેઇલ જેમ જેમ આવશે તેમ ચોક્ક્સ જાણ કરતાં રહીશું. આભાર.