પ્રાચીન અને આધુનિક સમયનાં મહાન દૂરંદેશીઓ વિશે જાણકારી


ઈ.પૂ. ૪૭૬માં કુસુમપુરા આજનું પટનામાં જન્મેલા આર્યભટ્ટ ખગોળશાસ્ત્રી અને ગણિતશાત્રી હતા. તેઓ તે સમય સુધીના જ્ઞાત સંપૂર્ણ ગાણિતિક જ્ઞાનનો ખજાનો હતા. જ્યારે તેમણે બે ભાગોમાં ”આર્યભટ્ટ’ લખ્યું ત્યારે તેમની ઉંમર માત્ર ત્રેવીસ વર્ષ હતી. આ પુસ્તકમાં બીજગણિત, ત્રિકોણમિતિ અને ખગોળવિદ્યાનો પણ સ્માવેશ કરવામાં આવોય છે. એમણે ત્રિકોણ અને વર્તુળના ક્ષેત્રફળની ગણતરી કરવા માટે સૂત્ર આપ્યું અને પિરામિડ તથા ગોળનાં(round) કદ આપવાનો પણ પ્રયત્ન કર્યો હતો. તેમણે જ સૌ પ્રથમ પાઇનું વર્તુળના પરિઘ અને વ્યાસના પ્રમાણ તરીકે સાચું માપ ૩,૧૪૧૬ શોધી કાઢ્યું. એ મહાન ખગોળશાસ્ત્રીના માનમાં ભારતે સને ૧૯૭૫માં પ્રક્ષેપિત કરેલા ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખ્યુ

બ્રહ્મદત્તનો જન્મ ઈ.પૂ. ૫૯૮માં રાજસ્થાનના બિલ્લામલમાં રાજા હર્ષના સામ્રાજ્યમાં થયો હતો. ત્રીસ વર્ષની ઉંમરમાં તેમણે ‘બ્રહ્મ સ્ફૂટ’ સિદ્ધાંત લખ્યો. તેમણે ખગોળશાસ્ત્રની કૃતિઓને અધ્યતન બનાવી. એમણે શ્રેઢી(progressions) અને ભૂમિતિને પણ આવરી લીધાં. તેમણે અલગ અલગ માત્રાનાં અસ્પષ્ટ સમીકરણો તથ ચતુષ્પદી સમીકરણોના ઉકેલોનો અભ્યાસ કર્યો અને ઉકેલો સુચવ્યા.

ભાસ્કરાચાર્ય પણ તે સમયના અન્ય અજોડ મહાન વિદ્વાન હતા. તેમનો જન્મ ઈ.પૂ. ૧૧૧૪માં વિજ્જ્લવાડા, જે કર્ણાટક અને મહારાષ્ટ્ર રાજની હદ પર આવેલું છે. ત્યાં થયો હતો. તેમણે સુપ્રસિદ્ધ ‘સિદ્ધાંત શિરોમણિ’ ચાર અધ્યાયમાં લખ્યું. તેમણે ખગોળવિદ્યા અને બીજગણિત પર કામ કર્યું અને એમને એ શોધના આધાર પર તૈયાર સંકલ્પનાની મદદથી શૂન્યનું મૂલ્ય પ્રતિપાદિત કર્યું તેમના માનમાં ઈસરોએ બીજી શ્રેણીના ઉપગ્રહોનાં નામ ભાસ્કર-૧ અને ભાસ્કર-૨(૧૯૭૯ અને ૧૯૮૧) રાખ્યાં.

ભારતાનાં આ ત્રણ ગણિતશાસ્ત્રીઓનું કાર્ય આલ્બર્ટ આઈનસ્ટાઇનની નોંધનો સંદર્ભ પુરો પાડે છે કે ‘અમે ભારતવાસીઓના અત્યંત ઋણી છીએ કે  તેમણે અમને  ગણતરી કરતાં શીખવ્યું. જેના વિના કોઇપણ મૂલ્યાંકન વિજ્ઞાની શોધ શક્ય ના બની હોત.

ત્યારબાદ  એક અન્ય પ્રબુદ્ધ હરહંમેશ જાણીતા અને સુપ્રખ્યાત વિદ્વાનની વાત આવે છે જે આજે પણ પ્રવર્તમાન સ્મૃતિમાં જીવંત  છે -શ્રીનિવાસ રામનુજન. તેઓ માત્ર ૩૩ વર્ષ(૧૮૮૭-૧૯૨૦) સુધી જ જીવ્યાં. અને એમણે કોઇ વૈધિકશિક્ષણ કે આજીવિકાનું કોઇ સાધન પ્રાપ્ત કર્યું ન હતું. છતાં તેમની અદમ્ય ઇચ્છાશક્તિ અને વિષય પ્રત્યેના તેમના લગાવને કારણે તેઓએ ગાણિતિક સંશોધન ક્ષેત્રે વિશાળ પ્રદાન કર્યું. તેમનાં કેટલાંક પ્રદાન આજે પણ ગંભીર અભ્યાસ હેઠળ છે કે જેમાં વૈધિક સાબિતિઓ પ્રસ્થાપિત કરવા ગણિતશાત્રીઓના પ્રયત્નોને જોડવામાં આવ્યા છે. રામનુજન અદભૂત ભારતીય વિદ્વાન હતા જેઓ ટ્રિનિટી કૉલેજ-કૅમ્બ્રિજના પ્રખર ગણિતશાસ્ત્રી પ્રાધ્યાપક જી.એચ. હાર્ડી જેવાના હ્રદયને પણ પીગળાવી શક્યા હતા. ખરું જોતાં તો એમ કહેવું જરા પણ અતિશયોકતિભર્યું નથી કે હાર્ડીએ જ વિશ્વ માટે રામાનુજનની શોધ કરી હતી. આપણા નામાંકિત પ્રખ્યાત વિજ્ઞાનીઓ આપણી શાળાઓમાં બીજા એક રામાનુજનની શોધ કેમ કરતા નથી? હે મારા સાથીઓ! આપ સૌ પ્રત્યેક ક્ષેત્રે ભેદ પાડવાને બદલે સમાકલન કરીને વિકાસ કેમ નથી કરતા?(અબ્દુલ કલામનાં વાક્યો)

‘પ્રત્યેક પૂર્ણ સંખ્યા(integer) એ રામાનુજનનો અંગત મિત્ર છે’ રામાનુજનને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિમા આ વાત કરવામાં આવી એ જરા પણ અતિશયોક્તિ  ન હતી. પ્રો. હાર્ડીએ ૧૦૦ના સ્કેલમાપ પર ક્રમાંકન કરતાં ૩૦ ની આસપાસ મોટા ભાગનાનું ક્રમાંકન કર્યું. જ્યારે બહુ ઓછા લોકોને તેમણે ૬૦ સુધી ક્રમાંકન આપ્યું હતું. પરંતુ રામાનુજન માટે તેમણે સૂચવ્યું કે માત્ર ૧૦૦નું જ મૂલ્ય તેમના માટે યોગ્ય ગણાય. રામનુજન અથવા ભારતીય વારસા પ્રત્યે આથી વધુ સારી શ્રદ્ધાંજલિ કઇ હોઇ શકે? રામનુજનની કૃતિમાં અવિભાજ્ય સંખ્યાઓ, સામાન્ય કરતાં વધુ ભૌમિતિક શ્રેણીઓ, માપદંડીય કાર્યો, ક્રાન્તિવૃત્તીય કાર્યો. ઉપહાસકારક કાર્યો. જાદુઇ વર્ગો, દીર્ઘવૃત્તોની ભૂમિતિ પરનાં કેટલાંક ગંભીર કાર્ય. વર્તુળના વર્ગ. વગેરેનો સમાવેશ થયેલો છે.

હું આશા રાખું છું કે ગણિતના યુવાન વિદ્યાર્થીઓને ભણાવતા અને પ્રેરણા આપતા સુપ્રસિદ્ધ શિક્ષકો આવનાર વર્ષોમાં પણ પોતાની અજોડ અને ઉમદા સેવાઓ જારી રાખી ભારતીય બૌદ્ધિકતાની કૂચ આગળ ધપાવશે. ખગોળ ભૌતિકવાદ પ્રાધ્યાપક એસ. ચંદ્રશંકરે વિદેશમાં પણ ભારતીય ગણિતપ્રણાલી ચાલુ રાખી હતી. વાસ્તવમાં ગણિત સર્વવ્યાપી છે-અબ્દુલ કલામ

સર સી.વી.રામને એકાઉન્ટન્ટ જનરલ કલકત્તાના કાર્યાલયમાં તેમની કારકિર્દી શરૂ કરી પરંતુ તેમના અંતરમાં રહેલા વિજ્ઞાનીએ તેમને ચેનથી બેસવા ન દીધા અને તેઓ હંમેશા તેમની રુચિ અનુસાર કેટલીક સમસ્યાઓના ઉકેલ માટે ગૂંથાયેલા રહ્યા. સદભાગ્યે આસુતોષ મુખરજી નામના મહાન શિક્ષણશાત્રીનો સહયોગ પ્રાપ્ત થયો જેમણે સી.વી.રામનને તેમની શોધ ચાલુ રાખવા પ્રોત્સાહિત કર્યા. એ નોંધપાત્ર છે કે ‘ રામન પ્રભાવ’ જે શોધે તેમને નોબલ પુરસ્કાર અપાવ્યો. તે શોધ કોઇ બહુ ખર્ચે તૈયાર કરેલી વિશાળ સંસ્થામાં થઇ નહોતી.  ભારતીય માનસની ઉત્કૃષ્ટતા વિશ્વને દર્શાવવાની મહેચ્છા જ સી.વી.રામનની પ્રેરણાસ્ત્રોત રહી હતી. આ બાબત એસ. ચંદ્રશેખરને પણ લાગુ પડે છે, જેને કાળાં કાણાં પર કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો હતો.

તેમણે તેમના જીવનચરિત્ર ‘ચંદ્ર’માં જે કામેશ્વર વલીએ લખેલું તેમાં કેટલાંક રસપ્રદ વિધાનો છે. એમાં દર્શાવ્યું છે કે ‘ચંદ્ર’ એવા સમયમાં ઊછર્યા જેને ભારતનો વિજ્ઞાન, કળા અને સાહિત્યનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. તે સમયના સ્વાતંત્ર્યસંગ્રામે પણ પ્રેરકબળ પૂરું પાડ્યું હતુ. જે.સી.બોઝ, સી.વી.રામન, મેઘનાથ સાહા, શ્રીનિવાસ રામાનુજન જેઓ પોતાના વિજ્ઞાન અને સર્જનાત્મક સિદ્ધિઓને કારણે એક રાષ્ટ્રીય વ્યક્તિવિશેષ બની ગયા હતા.

ચંદ્રશેખરે દર્શાવ્યું છે કે ‘૧૯૧૦ પહેલાં આધુનિક યુગમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોઇ ભારતીય વિજ્ઞાની હતા નહીં. ૧૯૨૦થી ૧૯૨૫ વચ્ચે આપણી પાસે એકાએક ચાર કે પાંચ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા વ્યકતિ હતી.  જે રાષ્ટ્રીય ચળવળ દરમિયાન યુવાનોમાં વર્ચસ્વ ધરાવતી પ્રેરણા બની ગઇ હતી. પોતાની જાતનો આગ્રહ રાખવો એ રાષ્ટ્રીય આંદોલનનો ભાગ બની ગયો હતો પરંતુ ખાસ કરીને વિજ્ઞાનમાં આપણે પશ્ચિમના દેશોને બતાવી શક્યા કે આપણે એમના બરોબરિયા છીએ.

સર સી.વી.રામનનો યુવાન સ્નાતકોને સંદેશ ‘હું આપ સૌ યુવકો અને યુવતીઓને કહેવા માંગું છું કે તમે આશા અને હિંમત ગુમાવશો નહીં. તમારી સમક્ષ આવી પડેલા કાર્ય પ્રત્યે હિંમતપૂર્ણ સમર્પણથી જ સફળતા પ્રાપ્ત થઇ શકે. હું કોઇપણ પ્રકારના વિસંવાદની શંકા વિના કહી શકું કે ભારતીય મનની ગુણવત્તા કોઇ પણ રીતે ટ્યુટોનિક, નોર્ડિક અથવા એંગ્લો સેક્સન મનની ગુણવત્તા સમાન છે. આપણામાં જે અભાવ છે તે કદાચ હિંમતનો અથવા કદાચ પ્રેરકબળનો જે આપણને ક્યાંય પણ લઇ જઇ શકે છે. હું માનું છું કે આપણે લઘુતાગ્રંતિ વિકસાવી છે. હું પણ વિચારું છું કે આજે ભારતને જે જરૂરી છે તે એ પરાજિત ભાવનાનો વિનાશ. આપણને જરૂર છે વિજયની ભાવનાની એક એવી ભાવના કે જે ગૌરવયુક્ત સભ્યતાના વંશજો તરીકે આપણે આ ગ્રહ પર આપણું યોગ્ય સ્થાન મેળવવા પાત્ર છીએ એ સમજી શકે. જો એ અણનમ ભાવના જાગે તો આપણું યોગ્ય ભાવિ સિદ્ધ કરવામાંથી આપણને કોઇ રોકી શકે નહી.”

આધુનિક સમયમાં પણ મહાન દૂરંદેશી વિજ્ઞાનીઓનો ઉદભવ થયો તે ત્રણ વિજ્ઞાનીઓ ડૉ. ડી.એસ.કોઠારી, ડૉ. હોમી જે.ભાભા અને ડૉ. વિક્રમ સારાભાઇ જેઓ રાષ્ટ્રના વિકાસમાં સહાયરૂપ બન્યા એવાં વિજ્ઞાની અને ટેકનોલોજીકલ ક્ષેત્રોમાં મહાન સંસ્થાઓના સ્થાપક છે- સંરક્ષણ અનુસંધાન વિકાસ સંગઠન(ડીઆરડીઓ), પરમાણુ ઊર્જા વિભાગ(ડીએઈ) અને ભારતીય અંતરીક્ષ સંશોધન સંગઠન(આઈએસાઅરઓ).

દિલ્હી યુનિવર્સિટીના પ્રા. ડૉ. ડી. એસ.કોઠારી એક પ્રખર વિજ્ઞાની અને ખગોળ-ભૌતિકશાસ્ત્રી હતા. ઉપગ્રહોની જેમ શીતલ સઘન પદાર્થોમાં  દબાણથી વસ્તુના આયનિકરણ માટે તેઓ જાણીતા હતા. ૧૯૪૮માં સુરક્ષામંત્રીના વિજ્ઞાની સલાહકાર તરીકે નિયુક્ત થયા પછી ડૉ. ડી.એસ.કોઠારીએ ભારતીય સંરક્ષણ ક્ષેત્રે એક વિજ્ઞાનની સારી એવી પરંપરા સ્થાપિત કરી સૌથી પહેલું કામ તે ઈલેકટ્રોનિક પદાર્થ, અણુકેન્દ્રીય ઔષધ તથા પ્રક્ષેપાસ્ત્ર વિજ્ઞાનમાં સંશોધન કરવા માટે સંરક્ષણ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરી. એમને ભારતમાં સંરક્ષણ વિજ્ઞાનના ઘડવૈયા માનવામાં આવે છે.

ડૉ. ભાભા કૅમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્ર ઉપર શોધ કરી હતી. ૧૯૩૦થી ૧૯૩૯ સુધી હોમી ભાભા બ્રહ્માંડગત વિકિરણ પર સંશોધન કરતા રહ્યા. ૧૯૩૯માં બેંગ્લોર ખાતે ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઑફ સાયન્સમાં સર સી.વી.રામનની સાથે જોડાયા. પાછળથી અણુકેન્દ્રીય અને ગાણિતિક વિજ્ઞાન અંગે વધુ ધ્યાન કેન્દ્રીત કરવા માટે તાતા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચની તેમણે સ્થાપના કરી. ૧૯૪૮માં અણુઊર્જા આયોગ(Atonic Energy Communication)ની તેમણે સ્થાપના કરી. તેમની દીર્ઘદૃષ્ટિને પરિણામે અણુકેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વિવિધ કેન્દ્રોની સ્થાપના થઈ, જેવાં કે અણુકેન્દ્રીય વીજળીનું ઉત્પાદન અથવાં અણુકેન્દ્રીય ઔષધમાં સંશોધન માટેનાં કેન્દ્રો. વિજ્ઞાનની આ સંસ્થાઓએ અણુકેન્દ્રીય વિજ્ઞાનને એક મહત્વના ઘટક તરીકે ખ્યાલમાં રાખીને વધુ ટેકનોલોજીનાં કેન્દ્રોની સ્થાપના કરી

આ ત્રણેયમાં સૌથી યુવાન એવાં ડૉ. સારાભાઇએ પ્રાયોગિક બ્રાહ્માંડગત કિરણોના ક્ષેત્રમાં સર સી.વી.રામન સાથે કામ કર્યું. અવકાશ સંશોધનને કેન્દ્રમાં રાખીને અમદાવાદ ખાતે તેમણે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી(PRL)ની સ્થાપના કરી.૧૯૬૩માં થુમ્બા ઈકવીટોરિયમ રૉકેટ લૉન્ચિંગ સ્ટેશન(TERLS) વાયુમંડળ સંશોધન માટે ધ્વનિયુક્ત રૉકેટોનું પ્રક્ષેપણ શરૂ કર્યું. ડૉ. સારાભાઇએ સ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી સેન્ટર(SSTC)ની સ્થાપના કરી અને તેઓ તેના નિયામક બન્યા. તેમની દીર્ઘદૃષ્ટિથી પ્રક્ષેપણ તાન, ઉપગ્રહ અભિયાન વ્યવસ્થાપન અને એપ્લિકેશનના વિકાસ માટે જવાબદાર એવાં તેનાં સંકલિત કેન્દ્રો સાથે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ એન્ડ ઓર્ગેનાઇઝેશન(ISRO)ની સ્થાપના કરી.

આ ત્રણ ભારતીય વિજ્ઞાનીઓએ જે ત્રણેય ભૌતિકશાત્રીઓ હતા. તેઓએ ભૌતિકશાસ્ત્ર સંશોધન સંસ્થાઓ શરૂ કરી જે સંરક્ષણ ટેકનોલોજી, અણુકેન્દ્રીય ટેકનોલોજી અને અવકાશ ટેકનોલોજીમાં વિકસિત બની જ્યાં આજે દેશભરમાં પ્રસરેલાં કેન્દ્રોમાં ૨૦,૦૦૦ વિજ્ઞાનીઓ કાર્યરત છે. આ ત્રણેયે રાજકીય નેતૃત્વને સમજતા કરવાનું મહત્વ સમજ્યા હતા કે વિજ્ઞાન દેશ માટે શું કરી શકે છે. જે ટેકનોલોજીથી પ્રજાને તત્કાળ લાભ થાય છે તે પ્રણાલી દ્વારા અમલીકૃત કરવી જોઇએ કયો રાજકીય પક્ષ સત્તાસ્થાને છે તેની પરવા કર્યા વગર. આ ત્રણ વિજ્ઞાનીઓએ એ મહતવનો સંદેશો પ્રસરાવ્યો છે કે વિજ્ઞાન ક્ષેત્રે વિકાસ માટે અને ટેકનોલોજી માટે આધારભૂત વિજ્ઞાન ખૂબ મહત્વનું  છે.

11 responses to “પ્રાચીન અને આધુનિક સમયનાં મહાન દૂરંદેશીઓ વિશે જાણકારી

  1. આટલા સારા વૈજ્ઞાનિકો થઈ ગયા હોવા છતાં આપણે ત્યાં Scientific temperનો વિકાસ નથી થયો એ દુઃખની વાત છે.
    બહેન, આ લેખ મૂળ અંગ્રેજીમાં હશે એમ ભાષા પરથી લાગે છે. અનુવાદ બાબતમાં ઘણું કહેવા યોગ્ય છે, પણ વિષયની ભાવના સમજીને એ વિશે ચર્ચા નથી કરતો.

    Like

    • શ્રી દિપકભાઇ,

      આપે ખૂબ જ મહત્વના પ્રશ્નને લેખના હાર્દ તરીકે રજૂ કર્યો. આપણે સાયન્ટિફિક ટેમ્પરને જાળવી ના શક્યા. તેનું કારણ હજુ વિજ્ઞાનનું મહત્વ સમજી નથી શક્યા તે છે. આપણી સૌથી મોટી વાસ્તવિક્તા કે કરૂણાતા એ છે કે આમજનતા પોતાની મહેનતની કમાણી દાનમાં લૂંટાવી દેશે. મંદિરો અને તેના ખજાનામાં અઢળક ધન છે. પણ આપણી સંશોધન સંસ્થાઓ કે સરકાર પાસે વિજ્ઞાનના સંશોધન માટે ફંડ નથી હોતું. અને તેથી જ દેશનું બુદ્ધિધન કાં તો વેડફાય છે કે બીજા દેશો માટે કામ કરે છે.

      અને આપની ભાષાંતરની વાત પણ સાચી છે. આ અબદુલ કલામના અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદિત થયેલા પુસ્તકના અંશો છે.

      Like

  2. શ્રીમતી મીતાબહેન,

    આલ્બર્ટ આઈનસ્તાઈનના જેવું સત્ય સ્વીકારવાની ભારતીય

    રાજનેતાઓએ ઉણપ દાખવી છે. ભવ્ય ભારતીય સમજે અને

    વૈજ્ઞાનિકોએ દુનિયાને ઘણું બધું આપ્યું છે. પણ પશ્ચિમના દેશોએ

    આ બાબતને સ્વીકારી નહી તેમાં આપના દેશના ઉચ્ચ સતાએ

    બેઠેલા વ્યક્તિઓએ ક્યારેય નક્કર વિરોધ દર્શાવ્યો નથી.

    ખુબ સુનદર વાત જાણવા મળી. ભારતના ભવ્ય વૈજ્ઞાનિકોની .

    ધન્યવાદ મીતાબહેન આવો અલભ્ય લેખ મુકવા બદલ.

    Like

    • શ્રી ગોવિંદભાઇ,

      સાચી વાત છે સત્ય સ્વીકારવાની આપણા રાજકીય નેતાઓની અવગણાનાને કારણે જ આઝાદી પછી કોઇ સારા વૈજ્ઞાનિકો દેશને ના મળ્યા, અને સંશોધનકાર્ય અટકવાથી આજે દેશ પાસે બુદ્ધિધન હોવાં છતાં આપણે બીજાં દેશો કરતાં ઘણાં પાછળ રહી ગયા. આપનો આભાર.

      Like

  3. “”આટલા સારા વૈજ્ઞાનિકો થઈ ગયા હોવા છતાં આપણે ત્યાં Scientific temperનો વિકાસ નથી થયો એ દુઃખની વાત છે.””

    “”આપણી સૌથી મોટી વાસ્તવિક્તા કે કરૂણાતા એ છે કે આમજનતા પોતાની મહેનતની કમાણી દાનમાં લૂંટાવી દેશે. મંદિરો અને તેના ખજાનામાં અઢળક ધન છે. પણ આપણી સંશોધન સંસ્થાઓ કે સરકાર પાસે વિજ્ઞાનના સંશોધન માટે ફંડ નથી હોતું. અને તેથી જ દેશનું બુદ્ધિધન કાં તો વેડફાય છે કે બીજા દેશો માટે કામ કરે છે.””

    “વર્તમાનમાં આપણી કરુણ વાસ્તવિકતા એ છે કે આજનો ૮૦ ટકા યુવા વર્ગ ફિલ્મો અને ટીવી અને ધન પાછળ ખુવાર થઈ રહ્યો છે, સાથે સાથે અમિતાભ બચ્ચન જેવા છીછરા એક્ટર દેશના વ્રુધ્ધોને પણ બહેકાવી રહ્યા છે. આપણા પિક્ચરો અને મીડીયા આપણા દેશનુ ભવિષ્ય બગાડી રહ્યુ છે, પ્રેમની આડમાં વાસનાની અને જુસ્સાના આડમાં હિંસાનો કુપ્રચાર કરી યુવાધન બગડી રહ્યા છે. દેશની ભૌતિક પ્રગતિ તો થઈ રહી છે પણ દિશાહીનતા ચોખ્ખી દેખાઈ આવે છે, જગત પ્રગતિ કરી રહ્યુ છે અને ભારતમાં એના માર્કેટીંગ મારફતે પ્રગતિ જણાઈ રહી છે અસ્સલમાં બધાની ”યેન્કેન પ્રકારે” ઘર ભરવાની દુષ્ટ નીતી જ વૈજ્ઞાનિકો અને મહાનુભાવોને ઉપર નથી આવવા દેતી.”

    એકંદરે સ્વદેશાભિમાન જગાડનારા લેખ બદલ ખુબ ખુબ અભિનંદન મીતાબહેન……..!!!

    Like

  4. સુંદર માહિતી આપી.ભાભા અને સારાભાઈ વિષે વધુ જાણવા મળ્યું.અહીં વૈજ્ઞાનિકોની કદર થતી નથી,કેમ કે અહીં વૈજ્ઞાનિક અભિગમ નથી.

    Like

  5. http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘આજનો પ્રતિભાવ’ વાંચવા તથા આપનો પ્રતિભાવ આપવા વિનંતી કરું છું.
    –ગિરીશ પરીખ

    Like

  6. માહિતીથી મારી જાણકારી વધી તે બદલ આભાર.

    Like

  7. આદરણીયશ્રી. શ્રીમતી મીતાબહેન

    આપે ભારી જહેમત ઉઠાવીને સત્ય બાબત

    ખુબજ સરસ રીતે પિરસેલ છે તેબદલ ગુજરાતી સમાજ વતી

    આપને સૌ પ્રથમ અભિનંદન.

    આપણાં શિક્ષણનું પ્રમાણ ઓછુ હોવાને લીધે

    વૈજ્ઞાનિક મિજાજ જેવો હોવો જોઈએ તેવો નથી.

    હજુ પણ ભારતીય ભારતીયોના વૈજ્ઞાનિક મિજાજને કેળવાતા

    વર્ષોના વહાણા વહી જશે એવું લાગે છે, પરંતુ હવે ભારત દેશ સાચી

    દિશામાં જઈ રહેલ છે.

    બહેનશ્રી આપે સુંદર રજુઆત કરી તે બદલ આપનો આભાર

    કિશોરભાઈ પટેલ

    Like

  8. શ્રી અબ્દુલ કલામ ના પુસ્તકના અવતરણો અને અંશો મુકવા બદલ ધન્યવાદ. હાલમાં ભારતના ગણ્યાં ગાંઠ્યા રત્નોમાંના તેઓ એક છે. તેમના વધારે લેખ અથવા તો તેમના પુસ્તકોના આધારે વધારે લેખ લખશો તો વાંચવાનો આનંદ થશે.

    Like

Leave a comment